અમદાવાદ: એડિટર રાકેશ જોષી
2019 માં કેન્દ્ર સરકાર દ્વારા કોરોના જેવા ગંભીર સમય માં મધ્યમ વર્ગ માટે અંત્યોદય યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં મધ્યમ વર્ગ લોકો ને ફ્રી માં સરકારી અનાજ નો લાભ મળે જે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા પાંચ વર્ષ સુધી વધારવામાં આવી છે જે યોજના મધ્યમ વર્ગ માટે ચાલુ કરવામાં આવી હતી તેનો લાભ છેલ્લા પાંચ વર્ષ થી જેઓ મધ્યમ વર્ગ માં આવતા ન હોવા છતાં પણ તેવો એ પણ સરકારી યોજના નો લાભ લીધેલ છે જેની કેન્દ્ર સરકાર શ્રી ને ધ્યાને આવતા એવા 94 લાખ થી પણ વધારે રાશન કાર્ડ ધારકો ને નોટિસ આપી ને ખુલાસો માગવામાં આવી રહીયો છે જેઓ મધ્યમ વર્ગ ની શ્રેણી માં નથી આવતા તેઓના સરકાર શ્રી દ્વારા રેશન કાર્ડ ને રદ કરવામાં આવી શકે છે
વધુમાં જણાવી દઈએ તો 18 જુલાઈ 2025 ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશોને તેમ જ રાજ્યો ને પત્ર મોકલવામાં આવ્યો છે ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ કવાયત યોગ્ય લોકો સુધી લાભ મળે તેના માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તેમણે એ પણ જણાવ્યું છે કે મંત્રાલય પીએમ કિસાન તેમજ અન્ય અનેક એજન્સીઓના ડેટાબેઝ માંથી માહિતી મેળવીને અયોગ્ય લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે અને તેમનું નામ લાભાર્થી લીસ્ટ માંથી હટાવી નાખવામાં આવશે




